અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે ચંડોળા તળાવ ખાતે દબાણ દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન ચંડોળા તળાવ ઉપર અંદાજે એક લાખ 25 હજાર ચોરસ મીટર દબાણમાંથી 60 હજાર ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું હતું. આ કામગીરીમાં બે હજારથી વધુ પોલીસકર્મી, S.R.P.ની 15 કંપની, મહાનગરપાલિકાના એક હજાર 800 જેટલા કર્મચારીઓ સહિત અન્ય ટુકડી પણ જોડાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ ખાતાના તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક યોજી આ કામગીરીની સમીક્ષા કરી. બેઠકમાં ભવિષ્યમાં ઘૂસણખોરી અટકાવવા અને ચંડોળા તળાવ જેવી સરકારી મિલકત પર અતિક્રમણ રોકવા અંગે ચર્ચા કરવામાં આવી હતી
Site Admin | એપ્રિલ 30, 2025 10:30 એ એમ (AM)
અમદાવાદના ચંડોળા તળાવ પરથી 60 હજાર ચોરસ મીટરનું દબાણ હટાવાયું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામગીરીની સમીક્ષા કરી
