ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હિલચાલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું છે. નલિયાથી 22 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમમાં તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. તો આદિપુરમાં પણ તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા નાગરિકોને સૂચન કર્યું હતું.
સાંસદ વિનોદ ચાવડાએ લોકોને કારણ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.